રાજ્ય પહેલ


state

આદિવાસી વિકાસ માટેના મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી વનબંધુ કલ્યાણ યોજના (vky)નો અમલ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ ના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામાં આવ્યો. આદિજાતિ સમુદાયોના સંકલિત, સર્વાંગી અને સર્વ સમાવેશક વિકાસ માટે પ્રેરિત આ કાર્યક્રમના દસ મુદ્દા આ પ્રમાણે છેઃ

આકૃતિ-૧ : મુખ્યમંત્રીશ્રીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ
 

વનબંધુ કલ્યાણ યોજનાના મુખ્ય ચાવીરૂપ ઉદ્દેશો

  • રાજ્યના આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાનો સેતુરૂપ કાર્યક્રમનો પ્રયાસ
  • આદિવાસી વિસ્તારોમાં માનવ વિકાસ સૂચાંકો તેમજ સામાજિક અને નાગરિક માળખાકીય સુવિધાઓનો વિકાસ
  • આ કાર્યક્રમ ગુજરાત સરકાર, ભારત સરકાર અને ખાનગી ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટેના ભંડોળનું સંયોજન કરવાની નેમ ધરાવે છે.
 

વનબંધુ કલ્યાણ યોજના (vky) પ્રતિ હકારાત્મક અભિગમ

આકૃતિ-૨ : વનબંધુ કલ્યાણ યોજના (vky) પ્રતિ હકારાત્મક અભિગમ

હકારાત્મક અભિગમ

આદિવાસી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની દરમિયાનગીરીના નવતર અભિગમની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ઉદ્દેશ વ્યાખ્યાયિત પરિણામો પ્રાપ્ત કરવાનો છે, જેમાં મુખ્ય ઝોક આદિવાસી વિસ્તારોમાં જે આપૂર્તિઓ (inputs)નું રોકાણ કરવામાં આવે તેની ગુણવત્તામાં સુધારો કરવા ઉપર તેમજ અધિકાર આધારિત અભિગમને પુરસ્કૃત કરવા પર છે.

 

મુખ્યમંત્રીશ્રીનો દસ મુદ્દાઓનો કાર્યક્રમ

  • દ્રષ્ટિદર્શન | તમામ આદિવાસી પરિવારોની આવક બમણી કરવા જેવાં વધુ કેન્દ્રિતતા સ્થળાંતરિત પરિવારો અને વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિનો ભોગ બની શકે તેવાં આદિજાતિ જૂથો ઉપર રહેશે.
 

વ્યૂહરચના

  • કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારીને વધારે રોજગારી ઊભી કરવી
  • પશુપાલન અને દૂધ ઉદ્યોગ આધારિત પ્રવૃતિઓ વિસ્તારવી
  • આદિવાસી યુવકોને ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ
  • આધુનિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સુવિધાઓનો વિકાસ કરી તેને આદિવાસી યુવકોની વધતી આજીવિકાની તકો સાથે જોડવી
  • જેના કુટુંબના વડા મહિલા હોય તેવા પરિવારો માટે પસંદગી
  • દ્રષ્ટિદર્શન | પાત્રતા ધરાવતી દરેક આદિવાસી બાળકની ગુણવત્તાયુકત શિક્ષણ પ્રતિની પહોંચ વિકસાવવી અને ઉચ્ચ શિક્ષણ ઉપર વિશેષ ઝોક રાખવો.
 

વ્યૂહરચના

  • દરેક તાલુકામાં વિજ્ઞાન વિષય સાથેની ઉચ્ચતર માધ્યમિક શાળા
  • રાષ્ટ્રીય રીતે માન્યતા પ્રાપ્ત નિવાસી શાળાઓમાં ૧૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓની નોંધણી અને અનુસૂચિત જનજાતિઓ માટે પ્રતિભા કોશ (ટેલેન્ટ પૂલ)ની રચના
  • દરેક આદિવાસી તાલુકામાં નવોદય અથવા એકલવ્ય પ્રકારની નિવાસી શાળાઓ અને તે શાળાઓને, ગુણવત્તાયુક્ત શહેરી શાળાઓ સાથેની તુલના કરી શકાય તેવી બનાવવી
  • કોલેજના વિદ્યાર્થીઓ માટે વધુ ૧૦૦૦ છાત્રાલયો સ્થાપવાં, દૂર-સુદૂરના અને બાકી રહી ગયેલા તાલુકાઓની અંદર વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજો સ્થાપવી
  • ઈજનેરી અને તબીબી કોલેજો, પોલિટેકનિક, નર્સિંગ કોલેજો અને આઈટીઆઈ સહિતમાં ઉત્કૃષ્ટ વિદ્યા ધામો શરૂ કરવા
  • દ્રષ્ટિદર્શન | સ્થળાંતર કરવા આદિવાસી પરિવારો અને વિશિષ્ટ પરિસ્થિતિનો ભોગ બને તેવાં આદિવાસી જૂથો સહિતનાં તમામ આદિવાસી પરિવારોની આવક બેગણી થાય તેમ કરવું અને માર્ગો અને ઊર્જા જોડાણ સહિતની પાયાની સુવિધાઓ ગામડાંઓમાં ઉપલબ્ધ કરીને ગામડાંઓની આર્થિક પ્રગતિ સુલભ બનાવવી.
 

વ્યૂહરચના

  • નક્કી કરવામાં આવેલી આર્થિક પ્રવૃતિઓ માટે ક્લસ્ટર આધારિત અભિગમ અને બજાર જોડાણને અનુસરીને પ્રત્યેક તાલુકા માટે વાર્ષિક રૂ. ૧ કરોડની ફાળવણી
  • દૂર-સુદૂરનાં અનુસૂચિત જનજાતિના વિસ્તારોને નજીકનાં આર્થિક કેન્દ્રો સાથે જોડવા માટે રસ્તા, પાણી, પુરવઠા, સિંચાઈ અને તમામ આદિવાસી તાલુકાઓમાં વિદ્યુત પુરવઠો ઉપલબ્ધ કરવા સહિતના પાયાની માળખાકીય સુવિધાઓનો વિકાસ
  • અનુસૂચિત જનજાતિનાં પરિવારોને સ્થાનિક કુદરતી સંસાધનોમાંથી વધુ લાભ મળે તે હેતુથી તેમાં સંસાધનોની મૂલ્યવૃધ્ધિ પ્રયાસો
  • દ્રષ્ટિદર્શન | આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન માટે આવશ્યક સુવિધાઓ પ્રતિની પહોંચ ઉપલબ્ધ કરવા દ્વારા તમામ આદિવાસી પરિવારોના સામાજિક-આર્થિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવો.
 

વ્યૂહરચના

  • અનુસૂચિત જનજાતિના તમામ પરિવારોને ચિરંજીવ યોજનાનો લાભ
  • અનુસૂચિત જનજાતિનાં તમામ પરિવારો માટે વાર્ષિક આરોગ્ય તપાસ
  • હ્રદયરોગ સંબંધિત ઓપરેશન માટે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આર્થિક સહાય
  • સિકલસેલ એનિમિયા, લેપ્ટોસ્પાયરોસિસ જેવા સ્થાનીય/ક્ષેત્રીય પ્રકારના રોગોના પ્રતિકાર માટે વિશેષ ઝુંબેશ
  • સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓમાં તેમજ છ વરસથી ઓછી વયનાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે યોજનાઓને અસરકારક બનાવવી
  • દ્રષ્ટિદર્શન | વિશેષ પરિસ્થિતિનો ભોગ બને તેવા આદિવાસી જૂથો સહિતનાં તમામ આદિવાસી પરિવારોને તેમની ભૌતિક જીવનકક્ષામાં સુધારો લાવવાના ઉદ્દેશથી આવાસની ઉપલબ્ધિ.
 

વ્યૂહરચના

  • આવતાં પાંચ વરસની અંદર અનુસૂચિત જનજાતિના તમામ પરિવારો માટે આવાસની ઉપલબ્ધિ.
  • દ્રષ્ટિદર્શન | પીવાના શુધ્ધ પાણીની સલામતી ઉપલબ્ધ કરવા માટે તેમજ ગરીબીની સમસ્યા નીપટવા માટે તમામ આદિવાસી પરિવારોને પીવાના શુધ્ધ પાણી પ્રતિની પહોંચ ઉપલબ્ધ કરવી.
 

વ્યૂહરચના

  • આવતાં પાંચ વરસની અંદર તમામ અનુસૂચિત જનજાતિનાં પરિવારો માટે શુધ્ધ, ખાતરીલાયક અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેમ કરવું.
  • ઓછામાં ઓછા ૨૫% અનુસૂચિત જનજાતિનાં પરિવારોને પાઈપ દ્વારા પૂરા પડાતા પાણી પ્રતિની પહોંચ ઉપલબ્ધ કરવી.
  • દ્રષ્ટિદર્શન | સિંચાઈયુક્ત ખેતી તેમજ આધુનિક ખેત પધ્ધતિ માટેની તકો ઉપલબ્ધ કરીને તમામ આદિવાસી ખેડૂતોને ખેતીમાંથી ખાતરીલાયક આવક ઉપલબ્ધ કરવવી.
 

વ્યૂહરચના

  • જૂથ સિંચાઈ યોજના ઉપર ઝોક
  • જળસંચય યોજનાના આધાર પર જળસંચય માળખાનું નિર્માણ કરવું
  • આદિવાસી વિસ્તારોમાં વધારે બંધપાળા (ચેકડેમ) બનાવવા
  • ટપક સિંચાઈ પધ્ધતિને વેગ આપવા માટે નાણાકીય અને ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરવી
  • બંધના ઉપરવાસમાં પીવાના પાણી-સહ-સિંચાઈ પ્રાયોજનાએ હાથ ધરવી
  • નવી મધ્યમ કક્ષાની તેમજ લધુ સિંચાઈ પ્રાયોજના વિચારવી
  • પાણીના વૈજ્ઞાનિક રીતે ઉપયોગ અને વ્યવસ્થાપન ઉપર ઝોક
  • દ્રષ્ટિદર્શન | અનુસૂચિત જનજાતિઓનાં તમામ ગામો અને તમામ પરિવારોમાં સુધારેલ જીવનકક્ષા અને આર્થિક વિકાસ માટે સાર્વત્રિક વીજળીકરણ સુનિશ્ચિત બનાવવું.
 

વ્યૂહરચના

  • અત્યાર સુધી બાકી રહી ગયેલા તમામ આવાસોમાં વીજળી જોડાણ
  • દૂર-સુદૂરના તેમજ છૂટક-છૂટક વસતા સમૂહોમાં સૂર્ય-ઊર્જા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા
  • ગરીબી રેખા નીચે જીવતાં તમામ પરિવારોને વિના મૂલ્યે વીજ - જોડાણ
  • દ્રષ્ટિદર્શન | તમામ આદિવાસી પરિવારોની જીવનકક્ષામાં સુધાર લાવવા માટે આદિવાસી વિસ્તારોમાં સંપત્તિનું નિર્માણ વિકસાવવું.
 

વ્યૂહરચના

  • આદિવાસી વિસ્તારોના માર્ગોની ગુણવત્તામાં સુધારણા
  • ૨૫૦ થી ઓછી વસતિ ધરાવતા તમામ રહેણાકીય સમૂહોને માર્ગોથી જોડવાં
  • આદિવાસી વિસ્તારોમાં હયાત માર્ગોની મરામત માટે ખાસ ઝુંબેશ
  • દ્રષ્ટિદર્શન | આદિવાસી પરિવારોની આવકમાં વૃધ્ધિ માટે આદિવાસી નગરોને ગ્રોથ એંજિન (વૃધ્ધિમાં કેન્દ્રો) તરીકે વિકસાવવાં.
 

વ્યૂહરચના

  • આદિવાસી વિસ્તારોનાં ૧૩ નગરોનો વૃધ્ધિકેન્દ્રો તરીકે વિકાસ કરવો
  • આવતાં પાંચ વરસની અંદર તમામ આદિવાસી તાલુકાઓને માર્ગ જોડાણથી જોડવા
સંબંધિત કડીઓ
News and Events