ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી


ગૂજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થા સોસાયટી (GSTDREIS) અથવા જેને ટૂંકમાં એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRS) સોસાયટી પણ કહેવાય છે. તે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગની જ એક સ્વાયત્ત સંસ્થા છે. જેનો પ્રારંભ 3 જાન્યુઆરી, 2000ના રોજ થયો. તેનો ઉદ્દેશ પ્રતિભાશાળી અને ગુણવત્તાયુક્ત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કક્ષાની શાળાઓ શરૂ કરવાનો નિભાવવાનો, નિયંત્રણ કરવાનો અને તેનું વ્યવસ્થાપન કરવાનો હતો. આ સોસાયટી હાલ નીચેની ત્રણ પ્રકારની શાળાઓનું રાજ્યમાં સંચાલન કરે છે.

  • એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRS)
  • એકલવ્ય છોરીઓ માટેની નિવાસી શાળા (EGRS) અને
  • આદર્શ શાળાઓ

હાલ આ સોસાયટી દ્વારા કૂલ 65 શાળાઓનું સંચાલન થઈ રહ્યું છે. જે પૈકી 18 એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ છે. 35 એકલવ્ય છોકરીઓ માટેની નિવાસી શાળાઓ છે. અને 12 આદર્શ શાળાઓ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં જ 15 વધુ શાળાઓ શરૂ કરવાનું આયોજન ગતિમાં છે.

65 એકલવ્ય આદર્શ શાળાઓ ચાલુ અને 15 નવી આદર્શ શાળાઓ માટેનું આયોજન આ શાળાઓમાં વિદ્યાર્થીદીઠ વાર્ષિક રૂ. 42,000 ખર્ચ

એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓનો પ્રારંભ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ગુણકક્ષા ધરાવતા આદિવાસી બાળકોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ એકલવ્ય પ્રાયોજનાનો પ્રારંભ વર્ષ 1999-2000થી થયો. આ એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRS)ના નમૂના-2માં નવોદય નમૂનાના આધાર પર વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 42,000ની આવર્તક ગ્રાન્ટ નક્કી કરવામાં આવી છે. તેમજ પ્રત્યેક શાળા દીઠ અનાવર્તક ગ્રાન્ટ તરીકે પાંચ વર્ષના ગાળા માટે રૂ. 10 લાખ અને પ્રત્યેક શાળા દીઠ મૂડી ખર્ચ માટેની રૂ. 12 કરોડની (મકાનોના બાંધકામ માટેની) ગ્રાન્ટ નક્કી કરવામાં આવી છે. આ તમામ ગ્રાન્ટ ભારત સરકાર તરફથી ચૂકવવામાં આવે છે.

એકલવ્ય છોકરીઓ માટે નિવાસી શાળાઓ (EGRS) માત્ર આદિજાતિ કન્યાઓ માટેની જ સુવાંગ નિવાસી શાળાઓ છે. જે ભારત સરકારના આદિજાતિ બાબતોની મંત્રાલય દ્વારા ગુજરાતના દસ આદિજાતિ વિસેસ વસતિવાળા જિલ્લાઓમાં અનુસૂચિત જનજાતિની કન્યાઓમાં શિક્ષણ સુદૃઢ બનાવવાની યોજના અંતર્ગત ચલાવવામાં આવે છે. ભારત સરકારના આદિજાતિ બોબતો મંત્રાલય (MOTA) દ્વારા પ્રથમ તબક્કે ગુજરાત રાજ્ય માટે વર્ષ 2008માં છોકરીઓ માટેની 24 નિવાસી શાળાઓની મંજૂરી આપવામાં આવી હતી. અને તે પછી વર્ષ 2009માં વધુ 12 છોકરીઓ માટેની નિવાસી શાળાઓ માટે મંજૂરી આપવામાં આવી હતી. હાલને તબક્કે સોસાયટી દ્વારા ધોરણ 8 થી 10 માટેની એકંદર કુલ 35 એકલવ્ય છોકરીઓ માટેની નિવાસી શાળાઓ રાજ્યભરમાં ચાલી રહી છે. શાળાઓનો ઉદ્દેશ શાળાઓમાં આદિજાતિની તમામે તમામ 100 ટકા કન્યાઓ શાળામાં દાખલ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરીને તેમજ ગુજરાત રાજ્યમાં જ્યા શિક્ષણનો દર નીચો છે. તેવા તાલુકાઓમાં શાળા અધવચ્ચે છોડી દેવાનું પ્રમાણ (Dropout Ratio) ઘટાડીને, રાજ્યની સામાન્ય મહિલાઓ અને આદિજાતિની મહિલાઓ વચ્ચે શિક્ષણના પ્રમાણમાં જે ખાઈ રહેલી છે. તેને ઉપર સેતુ બાંધવાનો છે.

છોકરીઓ માટેની 24 નિવાસી
શાળાઓ
100% શાળામાં પ્રવેશ
આદિજાતિની કન્યા
લો ડ્રોપઆઉટ
ગુણોત્તર

માનસંસાધન વિકાસ મંત્રાલયે વર્ષ 2010-11માં આદિજાતિ વિસ્તારોમાં માધ્યમિક કક્ષાના શિક્ષણની ગુણવત્તા સુધારવાના ઉદ્દેશથી અનુસૂચિત વિસ્તારોમાં 12 આદર્શ શાળાઓ સ્તાપવા માટે મંજૂરી આપી છે. આ શાળાઓ એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ (EMRS) કરતા કંઈક જુદી રીતે નિવાસી શાળાઓ નથી. જો કે તે કેન્દ્રીય વિદ્યાલયની તરાહ પર રચાયેલી છે. અને તેથી શિક્ષણની ગુણવત્તા વ્યવસ્થાપન અને સુવિધાઓની બાબતોમાં એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓની જ સમકક્ષ છે. આ આદર્શ શાળાઓની યોજના હેઠળ વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 17,857 ની આવર્તક ગ્રાન્ટ અને અનાવર્તક તથા મૂડી ખર્ચ પેટે શાળાદીઠ રૂ. 3.2 કરોડ ભારત સરકારના સંસાધન મંત્રાલય અને ગુજરાત સરકાર વચ્ચે 75:25ના ધોરણે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

સારાંશ
અનું. નં. શાળાનો પ્રકાર શાળાઓની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યા
1. એકલવ્ય આદર્શ નિવાસી શાળા EMRS 18 3795
2. છોકરીઓ માટેની નિવાસી શાળા EGRS 34 3406
3. આદર્શ શાળાઓ 12 1104
સરનામુ
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી,
બિરસા મુંડા ભવન, ત્રીજે માળ, સેક્ટર 10/એ,
ગાંધીનગર, ગુજરાત – 382010.
ફોન. નં : 079-23243749
News and Events