ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો

groups


ભારત સરકારના ગૃહ સંબંધિત બાબતોના મંત્રાલયે ગુજરાતના કાથોડી અને કોટવાળિયા જાતિઓને ૧૯૭૬ માં આદિમ જાતિઓ તરીકે માન્ય રાખી હતી. અને તે પછી ૧૯૮૨ માં પઢાર અને સીદ્દી જાતિઓને આદિમ જાતિઓ તરીકે માન્યતા આપી હતી. કોલઘા જાતિને ૧૯૮૩-૮૪ આદિમ જાતિ તરીકે જાહેર કરવામાં આવી. આવાં આદિમ જાતિ જૂથો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા અને સાબરકાંઠા એમ કૂલ ૮ જિલ્લાઓમાં પથરાયેલાં છે. આ જિલ્લાઓ આદિવાસી વિસ્તાર પેટા યોજનામાં સમાવિષ્ટ છે, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને જામનગર જિલ્લાઓમાં પણ આ જૂથો વસે છે પરંતુ તે જિલ્લાઓ સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વિસ્તારની બહારના જિલ્લાઓ છે.

વિશેષત : અસર પામેલાં આદિવાસી જૂથો (PVTGs) તરીકે જાહેર કર્યાનાં વર્ષ

અસર પામેલાં આદિવાસી જૂથો તરીકે જાહેર કર્યાનાં વર્ષ

વિશેષત : અસર પામેલાં આદિવાસી જૂથો (PVTGs) ની વસતિ મુખ્યત્વે નીચે પ્રમાણે ઘનિષ્ઠ રીતે વસેલી છે.

આદિમ જૂથનું નામ કયા જિલ્લામાં ઘનિષ્ટ વસતિ વસતિ સંખ્યા (૨૦૧૧)PVTGs ની કૂલ વસતિમાં તેમની ટકાવારીપરંપરાગત પ્રવૃતિઓઆર્થિક પ્રવૃતિઓ
કોટવાળિયા સુરત, વલસાડ, ડાંગ, ભરૂચ, નવસારી ૨૪,૨૪૯૧૬.૭૭ %વાંસના ટોપલા ટોપલીઓ બનાવવીવાંસની બનાવટોનું વેચાણ અને મજૂરી કામ
કોલઘાસુરત, વલસાડ, ડાંગ, નવસારી૬૭,૧૧૯૪૬.૪૨ %પશુ ચરાવવાંમજૂરીકામ
કાથોડીસુરત, ડાંગ, સાબરકાંઠા, નર્મદા, નવસારી૧૩,૬૩૨૯.૪૩ %પશુ માટેનો કાથો એકત્ર કરવોમજૂરીકામ
સીદ્દીજુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, રાજકોટ૮,૬૬૧૫.૯૯ %-ખેતીકામ, નોકરી
પઢારઅમદાવાદ, સુરેન્દ્રનગર૩૦,૯૩૨૨૧.૩૯ %માછલી પકડવી, કંદમૂળ એકત્ર કરવાંખેતી અને મજૂરી કામ
કુલ૧,૪૪,૫૯૩૧૦૦ %  
સંબંધિત કડીઓ
News and Events