ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ – GTDC
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના ઓક્ટોબર, 1972માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અનુસૂચિત જનજાતિના સમુદાયના સામાજિક-આર્થિક દરજ્જાના વિકાસ સંબંધિત તમામ કાર્યક્રમો હાથ ધરવાનો છે. આ ઉપરાંત, ગુજરાત આદિજાતિ વિકસા નિગમ (GTDC) એ આદિજાતિ વસતિના વિકાસ માટે ડેરી/પશુપાલન વિકાસ કાર્યક્રમ કૃષિવિકાસ કાર્યક્રમ, નાના પાકના બજાર માટેના તેમજ પાકના સંગ્રહ માટેના કાર્યક્રમ, નાના પાયાપરના ઉપયોગો આવાસોનુ નિર્માણ તેમજ આદિજાતિ વસતિના કલ્યાણ માટેની અન્ય કોઈપણ આર્થીક પ્રાયોજનાઓ આગળ ધપાવવાનુ કાર્ય હાથ ધરવાનું છે.