રાજય સરકારના પંચાયત, ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગના ઠરાવક્રમાંક:મકન-૧૦૮૨-૩૬૫-જ-૧, તા.૨૦/૦૧/૮૩થી સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦ હેઠળ ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડની રચના કરવામાં આવેલ છે. બોર્ડ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાઓમાં હળપતિ આવાસોના બાંધકામ માટે લાભાર્થીઓને સરકારશ્રીએ નિયત કરેલ નિયમોનુસાર સહાય પૂરી પાડવામાં આવે છે.