આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી


આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા આદિજાતિ પેટા યોજના હેઠળના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં સહાયતા આપવામાં આવે છે. નાયબ આદિજાતિ વિકાસ કમિશ્નર અનુસૂચિત જનજાતિઓમાં રહેલ આદિમજાતિ સમુદાયોના વિકાસની કામગીરી સંભાળે છે. અને આદિજાતિ વિકાસ કમિશ્નરને વિકાસ સંબધિત પ્રવૃતિઓના વહીવટી સંચાલન અને સંકલનમાં સહાય કરે છે.

આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરીની મુખ્ય ભૂમિકા અને જવાબદારીઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. :

  • શિક્ષણ અને છાત્રાલયો સંબંધિત યોજનાઓ સહિતની BCK યોજનાઓનો અમલ
  • આદિજાતિઓ સાથેના અત્યાચારો અટકાવવા તેમજ જાતી પ્રમાણ પત્રો જારી કરવા
  • જંગલ અધિકાર કાનૂનનો અમલ
  • મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ પૈકીના પાંચ મુદ્દાઓનુ સુનિયંત્રીકરણ અને દેખરેકખ
  • જિલ્લા કક્ષાએ ગુજરાત પેટર્નના ભંડોળની કાર્યવાહી
  • ભારત સરકારની ગ્રાન્ટો સંબંધિત કાર્યવાહી
સરનામુ
આદિજાતિ વિકાસ વિભાગના કમિશ્નર
સેક્ટર 10-એ, બિરસામુંડા ભવન, ગાંધીનગર
Gandhinagar.
News and Events